દાંતની ઇજા થાય ત્યારે શું કરશો ?
મોટા ભાગના લોકો દાંત અને મોં ની ઇજા થાય ત્યારે શું કરવું ? એ વિષે મૂંઝવણ અનુભવતા હોય છે. જયારે અકસિડેન્ટ થાય અથવા તો બાળકો ને રમત દરમ્યાન ( સ્પોર્ટ્સ ઇન્જુરી ) માં દાંત ભાંગી જાય , દાંત હલી જવા , મોં માંથી બહાર આવી જાય અથવા દાંત અને જડબાની ઇજા થાય ત્યારે શું કરવું ?
➤ સૌ પ્રથમ તો તૂટી પડેલા દાંત ને શોધવો, દાંતને પકડવામાં ખાસ તકેદારી રાખવી દાંતને મૂળથી પકડવો
નહિ, મોં માં દેખાતો ભાગ જે CROWN કહેવાય તેનાથી જ પકડવો, દાંતને મૂળથી પકડવાથી તેના પરના સેન્સિટિવ સેલ નાશ પામે છે, આથી પ્રત્યારોપણ ના સફળ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.
➤દાંતને દસ સેકન્ડ માટે ઠંડા પાણી થી ધોવો જેથી જે ધૂળના કણો અથવા અન્ય કચરો ચોંટેલો હશેતો નીકળી જશે અને દાંત બચવાની શક્યતા વધી જશે. સાવધાન દાંત ને કયારેય પણ બ્રશ અથવા સાબુ થી ચોખ્ખો ના કરશો , આનાથી સારવાર સફળ થવાના ચાન્સ ઘટી જશે.
➤ દાંત ને કેવી રીતે દવાખાના સુધી પહોંચાડશો ?
→જો શક્ય હોય તો દાંત ને દર્દીના મોમાં તેની મૂળ જગ્યાએ પાછો મુકવો, દાંત એકદમ તો નહીં બેસે કદાચ થોડો બહાર રહે. પણ તેનો કોઈ વાંધો નહિ.
→ દાંત ને મૂળ જગ્યા પાર ના બેસાડી શકોતો તો , ગાલ અને પાછળની દાઢ ની વચ્ચે રાખવો
→ ચોખ્ખા ગ્લાસ અથવા કપ માં દર્દીની લાળ અથવા ઠંડા દૂધ માં રાખવો, લાળ અને દૂધ માં રાખેલા દાંતના મૂળ ના સેલ લાંબા સમય સુધી જીવતા રહે છે.
→ જો દાંત સુકાઈ જાય અને અડધો કલાક કરતા વધારે સમય પસાર થાય તો દાંત પ્રત્યારોપણ ની સફળ થવાની શક્યતા ધટી જાય છે. માટે દાંત ને ભીનો રાખવો જરૂરી, સાવધ →કયારેય દાંત ને પાણીમાં રાખવો નહિ.
→ બને તેટલું ઝડપથી દાંતના ડૉકટર પાસે પહોંચવું જેથી કરીને તમારો કુદરતી દાંત પ્રત્યારોપણ કરી આપે.
➤ જો ઇજામાં માત્ર દાંત નો ભાગ જ તૂટ્યો હોય તો, તેને પણ દૂધ અથવા લાળ માં રાખી દાંતના ડૉક્ટર પાસે લઇ જાવ જો શક્ય હશે તો ડૉક્ટર તેને પાછો ચોંટાડી દેશે અથવા દાંત જેવા કલર ના કોમ્પોઝિટ રેઝિન મટેરીયલ થી આખો કરી દેશે।
:: ડો. એસ. એ. ચૌહાણ
→જો શક્ય હોય તો દાંત ને દર્દીના મોમાં તેની મૂળ જગ્યાએ પાછો મુકવો, દાંત એકદમ તો નહીં બેસે કદાચ થોડો બહાર રહે. પણ તેનો કોઈ વાંધો નહિ.
→ દાંત ને મૂળ જગ્યા પાર ના બેસાડી શકોતો તો , ગાલ અને પાછળની દાઢ ની વચ્ચે રાખવો
→ ચોખ્ખા ગ્લાસ અથવા કપ માં દર્દીની લાળ અથવા ઠંડા દૂધ માં રાખવો, લાળ અને દૂધ માં રાખેલા દાંતના મૂળ ના સેલ લાંબા સમય સુધી જીવતા રહે છે.
→ જો દાંત સુકાઈ જાય અને અડધો કલાક કરતા વધારે સમય પસાર થાય તો દાંત પ્રત્યારોપણ ની સફળ થવાની શક્યતા ધટી જાય છે. માટે દાંત ને ભીનો રાખવો જરૂરી, સાવધ →કયારેય દાંત ને પાણીમાં રાખવો નહિ.
→ બને તેટલું ઝડપથી દાંતના ડૉકટર પાસે પહોંચવું જેથી કરીને તમારો કુદરતી દાંત પ્રત્યારોપણ કરી આપે.
➤ જો ઇજામાં માત્ર દાંત નો ભાગ જ તૂટ્યો હોય તો, તેને પણ દૂધ અથવા લાળ માં રાખી દાંતના ડૉક્ટર પાસે લઇ જાવ જો શક્ય હશે તો ડૉક્ટર તેને પાછો ચોંટાડી દેશે અથવા દાંત જેવા કલર ના કોમ્પોઝિટ રેઝિન મટેરીયલ થી આખો કરી દેશે।
:: ડો. એસ. એ. ચૌહાણ
Comments
Post a Comment